28મીએ મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં જ્ઞાન સાગર પ્રકલ્પ ગ્રંથાલયનું ઉદ્ઘાટન

- text


દિવાસ્વપ્ન ફિલ્મ પણ બતાવવામાં આવશે

મોરબી : મોરબી પુન:રુથાન વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત જ્ઞાન સાગર પ્રકલ્પના 1051 ગ્રંથોના ગ્રંથાલયનું ઉદ્ઘાટન તેમજ ગ્રંથ પ્રદર્શની આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ સવારે 9 થી 10 કલાકે યોજાશે.

સાર્થક વિદ્યા મંદિરમાં નિરંતર ચાલતા આચાર્ય પ્રશિક્ષણ અંતર્ગત પ્રખ્યાત શિક્ષણવિદ અને લેખક ગિજુભાઈ બધેકા લિખિત પુસ્તક દીવાસ્વપ્ન આધારિત બનેલી ફિલ્મ ‘દિવાસ્વપ્ન’ સવારે 10.30 થી 12.45 વાગ્યા દરમિયાન શિક્ષકોને બતાવવામાં આવશે. આ ફિલ્મ નિહાળવા માટે પધારવા મોરબીની શૈક્ષણિક સંસ્થાના સંચાલકો તેમજ સંસ્થાના મુખ્ય કાર્યકર્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text