માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે માળીયાના સોનગઢ ખાતે સેવા કેમ્પનું આયોજન 

- text


મોરબી : મોરબી -પીપળીયા ચાર રસ્તાથી માળીયા (મીં) જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે કચ્છમાં આવેલા માતાના મઢે જતાં પદયાત્રીઓની સેવામાં છેલ્લા 24 વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ તા. 6 ઓક્ટોબરને રવિવારથી તા. 12 ઓક્ટોબર શનિવાર સુધી દિવસ અને રાત પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિનામુલ્યે જમવાનું, ન્હાવાનું, ચા-પાણી, નાસ્તો, રાત્રી રોકાણ અને મેડીકલ સારવાર સહીતની તમામ સુવિધાઓ નિ:શુલ્ક આપવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા મોરબીના ધીરૂભાઈ ડી. ચાવડા (એસબીઆઈ), કે.સી.જાડેજા- પીજીવીસીએલ-મોરબી, રાજુભાઈ લખમણભાઈ ડાંગર, હર્ષદભાઈ પટેલ- જ્યોતિ મંડપ, મહેશભાઈ- જલારામ ફેમિલી મોલ અને સોનગઢ ગામના આહીર યુવાનો તેમજ મોરબી પરા બજાર મિત્ર મંડળ સેવા આપી રહ્યા છે. દરેક પદયાત્રીઓ અને ધર્મપ્રેમી લોકોએ આ લોકોએ આ સેવાનો લાભ લેવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text