- text
હળવદ : તાલુકાના ચરાડવા ગામે આવેલા ટીંબલીયા હનુમાનજીના મંદિરે આજે 18 સપ્ટેમ્બરના રોજ કેવડા ત્રીજ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી.
ટીંબલીયા હનુમાનજીના મંદિરે કેવડા ત્રીજ વ્રતની ઉજવણી નિમિત્તે માટીનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. આ વ્રતને હરિતલિકા વ્રત પણ કહેવાય છે. આ પ્રકારની પૂજા પાર્વતીજીએ કરી હતી. આ વ્રત પરણિત મહિલાઓ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે અને અપરણિત સારો પતિ મળે તે માટે કરે છે. ત્યારે ટીંબલીયા હનુમાનજીના મંદિરે પણ શિવલિંગની પૂજન વિધિ કરવામાં આવી હતી.
- text
- text