રાવળદેવ યુવા સંગઠન મોરબી દ્વારા સંત રતનદાસ બાપુની પુણ્યતિથિએ તિથિ ઉત્સવ ઉજવાશે

- text


મોરબી : રાવળ દેવ સમાજના સંત રતનદાસ બાપુની પુણ્ય તિથિ નિમિત્તે ભવ્ય તિથિ ઉત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તારીખ 10 સપ્ટેમ્બરના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન રાવળ દેવ યુવા સગઠંન દ્વારા કરાયું છે.

10 સપ્ટેમ્બર ને રવિવારના રોજ રાવળદેવ યુવા સંગઠન મોરબી દ્વારા બપોરે 12 વાગ્યે નવાડેલા રોઙ રાવળ શેરીથી શોભાયાત્રા નીકળી મોરબીના જાહેર માર્ગો પર ફરી સામાકાંઠે પંચમુખી હનુમાનજીના મંદિરે પૂર્ણ થશે. ત્યારબાદ સાંજે 5 કલાકે વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજીના મંદિરે રાવળદેવ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અંતે સાંજે 7 કલાકે પંચમુખી હનુમાનજીના મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે રાવળદેવ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તો કાર્યક્રમમાં સમસ્ત રાવળદેવ સમાજના પરિવારોને પધારવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text