મોરબીમાં ઓમ સાંઈ શક્તિ ગૃપ દ્વારા જનમાષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી નવી પોસ્ટ ઓફિસની સામે સદગુરુ પાનની બાજુમાં ઓમ સાંઈ શક્તિ ગૃપ દ્વારા જનમાષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત તા. 7 સપ્ટેમ્બરને ગુરૂવારે રાત્રે 8:30 કલાકે ભગવાન શ્રી કૃષ્ણના સામૈયા તેમજ રાત્રીના 9 કલાકે એક સાંજ સંસ્કૃતિ કે નામ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર રાજુભાઈ આહિર તેમજ કશ્યપ અગ્રાવત- રાહુલ મકવાણા (સાજિંદા ગૃપ) સાથે પોતાની આગવી કલામાં ડાયરામાં રમઝટ બોલાવશે. આ સાથે જ રાત્રે 12 કલાકે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજક લાલુભા માનુભા ઝાલા- ઓમ સાંઈ શક્તિ ગૃપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text