મોરબીના ભીમસરમાં હત્યાના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઈ 

- text


છરી મારવાના બનાવ બાદ આરોપીઓએ મકાનમાં તોડફોડ કરી ઇજા પહોચાડયાની રાવ 

મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલા ભીમસર વિસ્તારમાં ફૈબાના ઘરર ગયેલા યુવાને પાડોશીઓને ઝઘડો નહીં કરવા સમજાવવા જતા છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવાના બનાવમાં સામે પક્ષે બનાવ બાદ ત્રણ ઈસમોએ મકાનમાં તોડફોડ કરી મહિલા સહીત ત્રણને ઈજાઓ કરી હોવાની ફરિયાદ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં કેશાભાઈ ટપૂભાઈ વાઘેલા ઉ.62 નામના વૃધ્ધે આરોપી ભલાભાઈ નાથાભાઇ ઝાલા, ભલાભાઈનો દિકરો ચનો અને સુમલો નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના દિકરા તથા પૌત્રોએ આરોપીના ભત્રીજા સાથે મારામારી કરી છરી મારેલ હોય જેનો ખાર રાખી ત્રેણય ઈસમોએ ઘર અંદર આવી છુટા પથ્થરના ઘા કરી સાહેદ લલીતભાઇને હાથમા તથા પગમા તથા સાહેદ મંજુબેનને મુંઢ ઇજાઓ કરી ગાળોબોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text