વાંકાનેરના સિંધાવદર ગામે ભૂલથી ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર નજીક ખીજડીયા ગામના બોર્ડ પાસે આવેલ સાજીભાઈની વાડીએ રહેતા મૂળ દાહોદ જિલ્લાના ગોવિંદભાઇ અજોસીંગભાઇ મેડા નામના ખેત મજુરે પોતાના નાનાભાઈએ પાણીની બોટલમાં ભરીને રાખેલી કપાસમાં છાંટવાની દવા ભૂલથી પી લેતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text