બકરી ઈદ નિમિતે વાંકાનેર માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે

- text


મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તા. 29 જુન થી 1 જુલાઈ સુધી ઈલ ઉલ અઝા (બકરી ઈદ)ના તહેવાર નિમિત્તે તમામ કામકાજ બંધ રાખવાની જાહેરાત કરી છે. બકરી ઈદના રજાના દિવસોમાં જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહીં. તા. 2 જુલાઈને રવિવારથી ફરી રાબેતા મુજબ યાર્ડ ચાલુ થઈ જશે. તેની દરેક દલાલભાઈઓ, વેપારીભાઈઓ તેમજ ખેડૂતભાઈઓએ નોંધ લેવા બજાર સમિતિના સેક્રેટરીની યાદીમાં જણાવાયુ છે.

- text

- text