સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના નવા હોદ્દેદારોની વરણી

- text


મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના 2023 થી 2025 માટે નવા વરાયેલા પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદી તથા મહામંત્રી મિલેશભાઈ જોશી તથા કમલભાઈ દવેએ વિવિધ અગ્રણીઓ સાથે ચર્ચા બાદ સમસ્ત બ્રહ્મસમાજ મોરબીની નવી ટીમની જાહેરાત કરી છે.

સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના ઉપપ્રમુખ તરીકે જયદિપભાઈ ઠાકર, એન. એન. ભટ્ટ, મહિધરભાઈ દવે, રાજુભાઈ જોશી, સુરેશભાઈ જોશી, જીતેન્દ્રભાઈ ત્રિવેદી તથા વાલાભાઈ રાજગોર તેમજ મંત્રી તરીકે નીતિનભાઈ પંડ્યા, અજયભાઈ ધાંધલ્યા, આશિષભાઈ મહેતા, મુકુંદરાય જોશી, મહેશભાઈ ઓઝા તથા રાજીવભાઈ ભટ્ટ જ્યારે ખજાનચી તરીકે રાજેશભાઈ પંડ્યા અને સહ ખજાનચી તરીકે હરેશભાઈ જાની તથા સોશ્યલ મીડિયા સંયોજક તરીકે હિતેશભાઈ લહેરુ, જીગરભાઈ દવે તથા યજ્ઞેશભાઈ જાનીની નિમણૂંક કરવામાં આવી છે.

આ ઉપરાંત સમસ્ત બ્રહ્મ સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં સક્રિય ભુમિકા ભજવતા 35 અગ્રણીઓની કારોબારી સમિતિના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ બધા જ સભ્યોની એક બેઠક ગઈકાલે પરશુરામ ધામ મોરબી ખાતે યોજાઈ હતી. જેમાં આ અગ્રણીઓને પુષ્પહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નવા હોદ્દેદારોને સંબોધતા પ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદીએ સમાજને ઉપયોગી વિવિધ પ્રોજેક્ટોને કાર્યાન્વિત કરવા આહ્વાન કર્યુ હતું. આ અવસરે પરશુરામ ધામના ભુપતભાઈ પંડ્યા, ડો અનિલભાઈ મહેતા, જિલ્લા બ્રહ્મ સમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ભુપતભાઈ પંડ્યાએ પોતાના જન્મદિવસ નિમિત્તે રૂપિયા 5100 તથા નવનિયુક્ત મહામંત્રી મિલેશભાઈ જોશી દ્વારા રૂપિયા 5100 તથા નવનિયુક્ત ઉપપ્રમુખ રાજુભાઈ જોશી (આશિર્વાદ હોટલ) દ્વારા પણ રૂપિયા 5100 પરશુરામ ધામને અર્પણ હતા.

- text

- text