ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારાના મોરબી ઝોનના હોદેદારોની વરણી

- text


મોરબી : ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારાના મોરબી ઝોનના હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા માટે પ્રભારી તરીકે કાંતિભાઈ કણસાગરા, પ્રમુખ તરીકે હર્ષદભાઈ વામજા, મહામંત્રી તરીકે રાહુલભાઈ અંદોદરિયા, મહિલા પ્રમુખ તરીકે ગૌરીબેન ઉભડિયાની વરણી કરવામાં આવી છે.

- text

મોરબી તાલુકા પ્રમુખ તરીકે ખોડીદાસ ધારીયેલા, મહામંત્રી તરીકે અમિતભાઇ મચ્છોયા, વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે હસમુખભાઈ ધરોડીયા, મહામંત્રી તરીકે હર્ષદરાય કણસાગરા, ટંકારા તાલુકા પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ ધારીયેલા, મહામંત્રી તરીકે દયાળજીભાઈ નારણીયા, હળવદ તાલુકા પ્રમુખ તરીકે જયંતીભાઈ મોકાસણા, મહામંત્રી તરીકે મહેશભાઈ મોકાસણા, માળિયા તાલુકાના પ્રમુખ તરીકે ભાવેશભાઈ લખતરીયાની વરણી કરવામાં આવી છે.

- text