27 જૂને ચરાડવા ગામે નવચંડી યજ્ઞ અને મચ્છુ માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


હળવદ : આગામી તારીખ 27 જૂન ને મંગળવારના રોજ તાલુકાના ચરાડવા ગામે સમસ્ત ભરવાડ સમાજ ચરાડવા ગામ દ્વારા નવચંડી યજ્ઞ અને મચ્છુ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

27 જૂને મચ્છુ માતાજીની વાડી ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સવારે 11 કલાકે માતાજીના સામૈયા થશે. ત્યારબાદ બપોરે 3 કલાકે શોભાયાત્રાનું આયોજન કરાયું છે. સવારે 7 કલાકે નવચંડી યજ્ઞ યોજાશે, સવારે 10 વાગ્યે સંતોના સામૈયા થશે. બપોરે 11-30 કલાકે ચરાડવા મુકામે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. જ્યારે રાત્રે 9 કલાકે લોકડાયરો અને ડાકની રમઝટ બોલશે.

- text

- text