ઘુંટુથી મોરબી જવાનું કહીને નીકળેલા શ્રમિકની મૃતદેહ મળ્યો

- text


મોરબી : મોરબીના ઘુંટુ નજીક આવેલ પેપર મિલમાં કામ કરતા મધ્યપ્રદેશનો શ્રમિક મોરબી જવાનું કહીને નીકળ્યા બાદ પાણાની ખાણમાં ભરેલ પાણીમાથી તેનો તરતો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીક ઘુંટુ ગામ પાસે આવેલ ન્યુલક્ષ પેપરમિલમાં રહી મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અનુપભાઈ રામસિંહ ગૌડ ઉ.24 નામનો યુવાન ગત તા.22ના રોજ ઘેરથી મોરબી જવાનું કહીને નીકળ્યા બાદ ન્યુલક્ષ પેપરમિલ સામે આવેલ પથ્થરની ખાણમાં ભરેલા પાણીમાંથી આ યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ તરતી હાલતમા મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text