મોરબીમાં નવા બસ સ્ટેશનનું ગુરૂવારે ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ

- text


મોરબી : મોરબીમાં ગુરુવારે નવા એસટી બસ સ્ટેન્ડના બિલ્ડિંગનું ગુરૂવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ થવાનું છે. આ કાર્યક્રમ સવારે 10:30 કલાકે યોજાનાર છે.

જેમાં મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, પ્રફુલ પાનશેરીયા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારિયા, પૂનમબેન માડમ, વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શીહોરા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, જીતેન્દ્રભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા સહિતના ઉપસ્થિત રહેશે. એમ એસટીના વિભાગીય નિયામકની યાદીમાં જણાવાયું છે.

- text

- text