- text
મૂળ કેશિયા હાલ નવસારી નિવાસી કન્યાના મોરબી ખાતે લગ્ન થયા
મોરબી : ભભકદાર ઝાકમઝોળને બદલે સાદગીપૂર્ણ રીતે વૈવાહિક વિધિથી લગ્નોત્સવ યોજાય તે માટે મોરબી પાટીદાર વડીલો દ્વારા શરૂ કરાયેલી ઘડિયાલગ્ન વિધિથી મોરબીના આંગણે વધુ એક નવયુગલે પ્રભુતામાં પગલાં પાડયા હતા.
મૂળ માણેકવાડા અને હાલ મોરબી રહેતા મનસુખભાઇ વાઘજીભાઈ ગોધવીયા અને અખંડ સૌભાગ્યવતી પુષ્પાબેનના સુપુત્ર ચિ. લવજીભાઈના શુભલગ્ન મૂળ કેશિયા અને હાલ નવસારી નિવાસી પ્રવીણભાઈ જેરામભાઈ ભટાસણા તથા અખંડ સૌભાગ્યવતી ગીતાબેનની સુપુત્રી ભાવિના સાથે પાટીદાર સમાજના અગ્રણીઓની હાજરીમાં યોજાયા હતા.
- text
- text