- text
મોરબી : છેલ્લા બે દિવસથી મોરબીમાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે ઠંડા બનેલા વાતાવરણમા આજે રવિવારે કોરોનાએ આરામ ફરમાવ્યો હોય તેવી સ્થિતિમાં આજે એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો ન હતો અને એક દર્દી સાજો થતા ડિસ્ચાર્જ આપાયું હતું.
આજરોજ મોરબી આરોગ્ય વિભાગ દ્વારા શહેર જિલ્લામાં કુલ 32 શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા હતા જો કે આજે રવિવારે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. આજના દિવસે મોરબીનો એક દર્દી સાજો નરવો થતા ડિસ્ચાર્જ આપવામાં આવતા જિલ્લામાં એક્ટિવ કેસ ઘટીને 8 થયા હોવાનું સતાવાર સૂત્રોએ જાહેર કર્યું છે.
- text
- text