ટંકારાની સજનપર પ્રાથમિક શાળામાં શહીદ દિવસની ઉજવણી

- text


ટંકારા: આજરોજ 23 માર્ચના દિવસે ટંકારા તાલુકાની સજનપર પ્રાથમિક શાળામાં શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી.

ભારતમાતાની રક્ષા કાજે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર સજનપર પ્રાથમિક શાળાના ધો. 1 થી 5 ના વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા ધારણ કરી તેના વિચારો રજૂ કર્યા હતા. દેશની આઝાદી માટે શહીદ થયેલા સ્વાતંત્ર્યસેનાનીઓની બલિદાનની ગાથા શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવી. સમગ્ર શાળા પરિવાર દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમના આયોજન બદલ સમગ્ર શાળા પરિવારને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text