મોરબી : શ્રીજી એસ્ટેટના ખાલી પ્લોટ ધારકોને તાકીદે એસોસિએશનનો સંપર્ક કરવા અપીલ

- text


શ્રીજી એસ્ટેટ એસોસિયેશનની સાધારણ સભા મળી : એસ્ટેટના વિકાસ અને ખાલી પ્લોટ અંગે ચર્ચા કરાઈ 

મોરબી: મોરબીમાં 5 જાન્યુઆરીના રોજ શ્રીજી એસ્ટેટ એસોસિએશન ટ્રસ્ટની સાધારણ સભા મળી હતી. આ સાધારણ સભામાં એસ્ટેટના વિકાસની સાથે સાથે એસ્ટેટના ખાલી રહેલા પ્લોટ તથા સાર્વજનિક તથા પાર્કિંગ પ્લોટના દબાણ અંગે અને ખાલી પ્લોટના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી.

સાધારણ સભામાં જણાવવામાં આવ્યું હતું કે, ઉપરોક્ત તમામ બાબતે ઘટતી કાર્યવાહી ભવિષ્યમાં હાથ ધરવામાં આવશે તેથી ખાલી પ્લોટ ધારકોને જણાવવામાં આવ્યું હતું કે, પોતાના પ્લોટની તથા પોતાની વિગત શ્રીજી એસ્ટેટ એસોસિએશનને સત્વરે સંપર્ક કરીને જણાવવી. વિગતો જણાવવા માટે એસોસિએશનના હોદ્દેદાર મનસુખભાઈ (મો.નં. 98253 74950) તથા મનોજભાઈ (મો.નં. 98794 90717) નો સંપર્ક કરવો.

- text

- text