- text
મોરબી: પાટીદાર સેવા સેતુ ગ્રુપ મોરબી સંચાલિત દર માસની પહેલી તારીખે નિરાધાર વિધવા બહેનોને રાશન કીટ આપવામાં આવે છે. હાલ આ સંસ્થામાં 52 પાટીદાર કાયમી દાતા ભાઈ-બહેનો દર મહીને નિયમિત પોતાનું મિનિમમ દાન રૂ. 1 હજાર જમા કરાવી સેવા કરી (પુણ્યદાન)કરે છે.
ત્યારે આ કાર્યમાં આવતીકાલે મકરસંક્રાંતિના પવિત્ર દિવસે જે ભાઈ-બહેનને કાયમી દાતામાં તરીકે જોડાવું હોય કે આવતીકાલનું એક માસનું દાન આપવું હોય તેઓએ “નટરાજ સ્પોર્ટ્સ”, સજીવન સ્ટોર ઉપર,1લો માળ, હરી ૐ ડેરી પાસે, રવાપર રોડ, મોરબી ખાતે પ્રેમજીભાઈ આર.સીતાપરા (મો.97279 23523) અથવા વશરામભાઈ આર.ઘોડાસરા (મો.94288 12657)નો સંપર્ક કરવો. જુના કાયમી દાતાઓએ આવતીકાલનાં પવિત્ર દિવસે ઓફીસે દાન જમા કરાવવા જણાવાયું છે. આવતીકાલે ઓફિસનો સમય સવારે 9 થી 12 બપોર પછી 4 થી 7નો રહેશે.
- text
- text