- text
મોરબી : માધવ ગૌશાળાના લાભાર્થે આવતીકાલે તા.12 ને ગુરુવારે રાત્રે 9 કલાકે બાલકેશ્વર મહાદેવ મંદિરની સામે લુપ્ત થતી લોક ભવાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
મોરબીના રવાપર ગામે બાબુભાઇ કાનજીભાઈ કુંભરીયાવાળા તથા ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળ દ્વારા માધવ ગૌશાળાના લાભાર્થે લોક ભવાઈનો કાર્યક્રમ યોજાશે જેમાં ઐતિહાસિક નાટક રાજા ભરથરી અને સતી પીંગલા ભજવવામા આવશે. આ લોક ભવાઈ કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
- text