કાનાભાઈને મોરબીના પ્રજાપતિ સમાજનું પ્રચંડ જનસમર્થન

- text


વરિયા મંદિર ખાતે યોજાયેલા સમસ્ત પ્રજાપતિ સમાજના સંમેલનમાં કાનાભાઈએ હંમેશા પ્રજાપતિ સમાજની પડખે છું અને આજીવન રહીશ તેવો કોલ આપ્યો

મોરબી : મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર અને પાંચ-પાંચ ટર્મથી વિજેતા થનાર લોક લાડીલા નેતા કાંતિભાઈ અમૃતિયાને જંગી બહુમતીથી જીતાડવા માટે દરેક સમાજનું સમર્થન મળતું હોય ત્યારે મોરબીના સમસ્ત પ્રજાપતિ સમાજે પણ તેમને પ્રચંડ સમર્થન આપ્યું હતું અને સમસ્ત પ્રજાપતિ સમાજે કાનાભાઈને જંગી બહુમતીથી જીતાડવા માટે તેમની સાથે જ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સામા છેડે કાંતિભાઈએ પણ હું હમેશા પ્રજાપતિ સમાજની સાથે છું અને પ્રજાપતિ સનજના કોઈપણ કામ માટે અજીવન ખડેપગે રહેવાની તત્પરતા દર્શાવી હતી.

મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાના સમર્થનમાં ગઈકાલે રાત્રે મોરબીના સોઓરડી વિસ્તારમાં આવેલ વરિયા માતાજીના મંદિરે સમસ્ત પ્રજાપતિ સમાજનું વિરાટ સંમેલન મળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના ભાઈઓ ઉમટી પડ્યા હતા અને મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજે જાહેરમાં કાનાભાઈને જંગી બહુમતીથી જીતાડવા પોતાનું સમર્થન આપ્યું હતું.

આ તકે કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, આપ સહુ સમાજની લોકચાહનાને કારણે ભાજપે ફરી મને તક આપી છે. ટીકીટ વખતે સેન્સમાં દરેક સમાજમાંથી “કાનો.. કાનો…અને ફક્ત કાનો જ જોઈએ” તેવી આપ સૌ સમાજની મારા પ્રત્યેની લાગણી જોઈને હું દરેક સમાજનો ઋણી રહીશ અને શાંતિપ્રિય અને શિક્ષિત તેમજ સમજુ પ્રજાપતિ સમાજનો મને હંમેશા પ્રેમ મળતો આવ્યો છે અને આજીવન મને આ સમાજ તરફથી ભરપૂર પ્રેમ મળશે જ. તેમજ હું હમેશા જાહેર જીવનની યાત્રા દરમિયાન પ્રજાપતિ સમાજની પડખે રહ્યો છું અને આ સમાજના કોઈપણ કામ માટે હું આજીવન તેમની સાથે જ રહીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વધુમાં કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મને હમેશા પ્રજાપતિ સમાજનો તમામ રીતે સાથ સહકાર અને સહયોગ મળ્યો છે અને આજીવન મળતો રહેશે. વરિયા પ્રજાપતિ સમાજે પણ કાનાભાઈને પોતાનો ટેકો જાહેર કરીને તેઓને બહુમતી જીતાડવા માટે હુંકાર કર્યો હતો.

આ તકે સમસ્ત પ્રજાપતિ સમાજના તમામ અગ્રણીઓ, આ વિસ્તારના કાઉન્સિલરો, તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

પ્રજાપતિના સંમેલન બાદ વોર્ડ નંબર-4માં સોઓરડીના મુખ્ય ચોકમાં જય અંબે ગરબી મંડળના મેદાનની સામે કાનાભાઇએ આ વોર્ડના ભાજપના કાર્યાલયનું ઉદઘાટન કરીને ખુલ્લું મૂકી જંગી જાહેર સભાને સંબોધી હતી. આ તકે કાનાભાઈએ જણાવ્યું હતું કે હું દરેક વોર્ડ વિસ્તારમાં સમતોલ વિકાસ કરવાનો હમેશા પ્રયત્નશીલ રહીશ અને મોટો લોક સમુદાયે મારા પર જે ભરોસો મુક્યો છે તેના પર હું ખરો ઉતરવાનો પ્રયાસ કરીશ અને આ વોર્ડની તમામ સમસ્યા અને પ્રશ્નોના ઉકેલ કરી સોઓરડી વિસ્તારનો તમામ રીતે વિકાસ કરવાની ખાતરી આપી હતી અને છેવાડાના તમામ લોકો સુધી પહોંચીને તેમના દુઃખ દર્દ દૂર કરવા તેમજ જે જે પ્રશ્નો હોય તેને ઉકેલવા માટે હમ હમેશે ખડેપગે રહેવાની કટીબદ્ધત્તા વ્યક્ત કરી હતી અને લોકોના કોઈપણ કામ માટે કાનાભાઈ 365 દિવસ અને 24 કલાક તૈયાર જ છે એવું પણ જણાવ્યું હતું.

- text