1લી નવેમ્બરે નારણકા ગામે મેરજા પરિવારનો 18મો વાર્ષિક પાટોત્સવ યોજાશે

- text


મોરબી: મોરબી તાલુકાના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારના 18મા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

નારણકા ગામે સમસ્ત મેરજા પરિવાર દ્વારા પરંપરા મુજબ દર વર્ષે વાર્ષિક પાટોત્સવ યોજાય છે. આ વર્ષે આગામી તા.1લી નવેમ્બરના રોજ બહુચરાજી માતાજી મંદિર નારણકા ખાતે 18મો વાર્ષિક પાટોત્સવ યોજાશે. આ પાટોત્સવમાં તા.31-10-2022ના રોજ સાંજે 4:30 કલાકે શોભાયાત્રા, રાત્રે 9 કલાકે રાસ ગરબા, તા.1-11-2022ને મંગળવારના રોજ મહાયજ્ઞ, બપોરે 2 કલાકે બીડુ હોમવામાં આવશે. સાથે જ મેરજા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે. આ તકે યજ્ઞના યજમાન તરીકે અભીભાઈ જયંતિભાઈ મેરજા તથા જલ્પાબેન અભીભાઈ મેરજા બિરાજમાન થશે.

- text

- text