મોરબીમાં 1700થી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવાયા 

- text


મોરબી : આયુર્વેદિક જીવનશૈલી તથા સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળના સયુંકત ઉપક્રમે આજરોજ મોરબીમાં 39મો વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ લુહાર વાડીમાં યોજાયો હતો. જેમાં 1700થી વધુ બાળકો તથા પ્રેગ્નેન્ટ મહિલાઓને આ આયુર્વેદિક ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

મોરબીમાં આયોજિત આ કેમ્પમાં સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા બાદ દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે બધા બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા રીંકલબેન અગ્રાવત, હિતેશભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ તથા અન્યના સહયોગઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પના મુખ્ય આયોજક રાજભાઈ પરમાર તથા તેમના પુરા પરિવારે અને તેની ટીમે આ કેમ્પમાં પોતાની સેવા આપી હતી.

- text

- text