હળવદ તાલુકાના સુંદરગઢ ગામ નજીક આદિવાસી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી

- text


સુંદરગઢની વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતી મહિલાની તેના પતિએ જ હત્યા કરી હોવાની શંકા

હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામ નજીક મોડી સાંજના એક આદિવાસી મહિલાની હત્યા કરાયેલી લાશ પડી હોવાની જાણ હળવદ પોલીસને થતા પોલીસ દ્વારા પ્રથમ ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં મહિલાના શરીરના જુદા જુદા ભાગ પર મૂંઢમાર માર માર્યો હોવા થી આ મહિલાનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે બીજી તરફ આ મહિલાની હત્યા અન્ય કોઈ નહિ પણ તેના પતિએ જ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામ નજીક આજે મોડી સાંજના જાનકીબેન ઉર્ફે ધનીબેન ઉંમર વર્ષ 35 રહે મુળ દાહોદ હાલ રહે હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમ વિસ્તારમાં તેઓની લાશ સુંદરગઢ ગામ નજીક રોડ પર મૂઢમાંર માર મારી ઈજા કરી હત્યા કરાયેલી પડી હોવાની જાણ હળવદ પોલીસને થઈ હતી

- text

જેથી પોલીસ દ્વારા આ મહિલાની લાશ ને પ્રથમ ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જોકે મહિલાને છાતીના ભાગે,માથાના ભાગે તેમ જ શરીરના અન્ય ભાગે મૂંઢમાર માર મારવાના કારણે મહિલાનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

બીજી તરફ આ મહિલાની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેના પતિએ જ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસ દ્વારા હાલ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

- text