સીટી બસને ઘુંટુ સુધી લંબાવવા ચીફ ઓફિસરને રજૂઆત

- text


મોરબી : મોરબીમાં માળીયા ફાટક સુધી જતી સીટી બસને ઘુંટું સુધી લંબાવવા અન્ન નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી. જોષીએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.

- text

રજૂઆતમાં જણાવ્યું છે કે સીટી બસને ઘુંટુ સુધી લંબાવવી જરુરી છે. કારણકે આ રોડ ઉપર વીસથી પચ્ચીસ જેટલી સોસાયટી આવેલ છે. જેનો લાભ આ વિસ્તારને મળી શકે અને જનતા સસ્તા ભાડામાં મોરબી આવી શકે. હાલમાં આ સીટી બસ માળીયા ફાટક સુધી આવે છે. અને ત્યાં ગેસ ભરાવવા સીએનજી પંપે જાય છે. ત્યાંથી ફકત બે કીલોમીટરના અંતરે ધુંટુ આવેલ છે. તેથી આ બસને ફકત બે કીલોમીટર લંબાવવામાં આવે તો આ વિસ્તારની સોસાયટી વિસ્તારને તેનો લાભ મળે અને નગરપાલીકાને આવકમાં વધારો થાય તેમ છે. કારણકે આ સોસાયટી વિસ્તારમાં બધા શ્રમજીવી લોકો રહે છે. અને મોરબી ખાતે રોજીરોટી રળવા આવે છે. આ સિવાય ધણા વિદ્યાર્થીઓ મોરબી ખાતે અભ્યાસ અર્થે આવે છે. તો આ બસ લંબાવવાની ખાસ જરૂર છે. અંતમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.

- text