મોરબી : ડો.ભાણજી એચ.સોમૈયા લીખીત ‘પાવર ઓફ માઈન્ડ’ પુસ્તકનું આવતીકાલ શનિવારે વિમોચન

- text


મોરબી : ગુજરાતના જાણીતા માઈન્ડ પાવર ફેમ ઓથર અને મોટીવેશનલ સ્પીકર ડોક્ટર ભાણજી એચ. સોમૈયા લીખીત પુસ્તકનો વિમોચન સમારોહ આવતીકાલ તારીખ 3 સપ્ટેમ્બરને શનિવારના રોજ સવારે 9:30 કલાકે યુ એન મહેતા આર્ટસ કોલેજ, સેમિનાર હોલ, ભડીયાદ રોડ, મોરબી-2 ખાતે યોજાશે.

પુસ્તક નું વિમોચન યુ એન મહેતા આર્ટસ કોલેજ મોરબીના પૂર્વ પ્રિન્સિપલ ડો. લખમણભાઇ એમ. કંઝારીયાના હસ્તે કરવામાં આવશે. તેમજ અધ્યક્ષ સ્થાન સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ વોરા શોભાવશે.

આ ઉપરાંત રજનીભાઈ મહેતા, પ્રોફેસર કે.આર.દંગી, ડોક્ટર હિતેશભાઈ સી માંડવીયા, દેવાંગભાઈ દોશી, ડોક્ટર જીતેન્દ્રભાઈ એમ. ગરમોરા, પ્રા મહેન્દ્રભાઈ પરમાર વગેરે અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.

- text

- text