હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા અંતર્ગત મોરબીની પી.જી.પટેલ કોલેજમા તિરંગાનું વિતરણ કરાયું

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા અંતર્ગત મોરબીની પી.જી.પટેલ કોલેજમાં આજરોજ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આપણા દેશનું સ્વતંત્રતા પર્વ ને હવે ગણતરીના દીવસો જ બાકી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા સુત્ર આપવામાં આવ્યું છે. જેના અનુસંધાને પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના પ્રજ્વલિત થાય અને રાષ્ટ્રભક્તિના માર્ગે ચાલી વિધાર્થીઓ એક આદર્શ રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરાય તેવા ઉમદા આશયથી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં દરેક વિધાર્થીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

વિધાર્થીઓ પોતપોતાના નિવાસ્થાને , કામકાજના સ્થળે ભારતભૂમિની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાવે તેવી અપીલ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.

- text

- text