- text
અલખધણી ગૌશાળા-ગોરખીજડીયા દ્વારા આયોજન
મોરબી : અલખધણી ગૌશાળા-ગોરખીજડીયા દ્વારા આખો શ્રાવણ મહિનો રામ ધૂનનું આયોજન સવારે ૫ થી સાંજના ૫ વાગ્યા સુધી અલખધણી ગૌશાળા-ગોરખીજડીયા ખાતે કરવામાં આવ્યું છે.આ રામ ધૂન આગામી તા.૨૯/૭ થી પ્રારંભ થશે અને તા.૨૯/૮ ના પૂર્ણાહુતિ થશે. રામ ધૂનમાં આવતા તમામ ભકતો, સાધુ સંતો માટે સવારે, બપોરે અને સાંજે પ્રસાદ રાખવામાં આવ્યો છે. આયોજક અંબારામ ભગત(મો.૯૩૧૩૧ ૫૬૨૯૭) અને રવિરામબાપુ (મો.૯૯૭૮૦ ૧૩૪૧૪)એ લોકોને જાહેર આમંત્રણ આપ્યું છે.
- text
- text