માળીયાના ખેડૂતોને આગામી વાવેતર માટે નર્મદા યોજનાની કેનાલમાંથી પાણી છોડવા કાંતિલાલ અમૃતિયાની માંગ 

- text


પાણી છોડવા અંગે પૂર્વ ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત

માળીયા(મી.) : મોરબી જિલ્લાના માળીયા(મી.) વિસ્તારના ખેડૂતોને આગામી વાવેતર સુવિધા માટે નર્મદા યોજનાની માળીયા બ્રાંય કેનાલ, મોરબી બ્રાંય કેનાલ, મચ્છુ-ર ડેમ તથા ઘોડાધ્રોઇ ડેમમાંથી પાણી છોડવા અંગે પૂર્વ ધારાસભ્યે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

- text

મોરબી જીલ્લાના મોરબી તાલુકા તથા માળીયા તાલુકાના દરિયા કિનારા નજીક આવેલા પરંતુ અલગ અલગ ડેમ કે નર્મદા યોજના દ્વારા સિંચાઇ સુવિધા ધરાવતા ખેડૂતોને આવકમાં વધારો થાય તે માટે નર્મદા યોજનાની માળીયા બ્રાંય કેનાલમાં ખીરઇ સુધી, મોરબી બ્રાંય કેનાલમાં મચ્છુ સુધી, મચ્છુ-ર ડેમ તથા બ્રાહ્મણી-ર સાદુળકા સુધી પાણી છોડવા ઉયિત ત્વરીત કાર્યવાહી કરવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે.

- text