મોરબીમાં ૨૮મીએ ભકૃડીયારી મેલડી માતાજીનો નવરંગો માંડવો

- text


ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે

મોરબી: મોરબીમાં આગામી તારીખ ૨૮મી મેને શનિવારના રોજ મા ભકૃડીયારી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે. આ નવરંગો માંડવો હાઉસિંગ બોર્ડ ગેડા સર્કલની બાજુમાં મોરબી ખાતે યોજાશે. આ પ્રસંગે સવારે શુભ ચોઘડીએ થાંભલી રોપણ, સાંજે 5 કલાકે સામૈયા તથા સાંજે 6:30 કલાકે મહાપ્રસાદ તેમજ થાંભલી વધામણા તારીખ 29 મેના રોજ સવારે શુભ ચોઘડિએ કરવામાં આવશે.

આ નવરંગા માંડવામાં ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, મોરબી જિલ્લા પ્રમુખ અજયભાઈ લોરીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,માજી શહેર ભાજપ ઉપપ્રમુખ મેઘરાજસિંહ ઝાલા વગેરે મહેમાનો ઉપસ્થિત રહેશે. આ તકે ગાયક કલાકાર સાગરભાઇ માલણિયાત, ભરતભાઈ દેલવાણિયા, વિક્રમભાઈ કાવિઠીયા, વિજયભાઈ ચોવિસીયા, બાબુભાઈ દેલવાણીયા વગેરે ભજનની રમઝટ બોલાવશે. આ નવરંગા માંડવામાં કરના ભુવા હકુભા માલણિયાત બિરાજમાન થશે. આ નવરંગા મંડવામાં સર્વેને પધારવા કિશનભાઈ હકુભાઈએ આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text