ભાવપરમાં રવિવારે નીલકંઠ મહાદેવ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ

- text


રાજ્યમંત્રી સહિતના ભાજપ અગ્રણીઓ હાજર રહેશે

માળીયા(મી.) : માળીયા(મી.) તાલુકાના ભાવપરમાં નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવ અને જીર્ણોધાર વિધિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ધર્મ સભા અને ધાર્મિક કાર્યક્રમો યોજાશે.આ મહોત્સવમાં રાજ્યમંત્રી સહિતના ભાજપ અગ્રણીઓ હાજર રહેશે

માળીયા(મી.) તાલુકાના ભાવપરમાં નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવ અને જીર્ણોધાર વિધિ મહોત્સવનું આગામી તા.15ને રવિવારના રોજ નીલકંઠ મહાદેવ મંદિર,ભાવપર,માળીયા(મી.) આયોજન કરવામાં આવ્યું છે.પુનઃ પ્રતિષ્ઠા યજ્ઞના ધાર્મિક પ્રસંગો યોજાશે.જેમાં યજ્ઞ પ્રારંભ સવારે 8:15 કલાકે,ધર્મ સભા સવારે 10:30 કલાકે,ઈંડું ચડાવવાનું મુહૂર્ત બપોરે 11:45 કલાકે,ધ્વજા રોહણ બપોરે 11:55 કલાકે,મહાપ્રસાદ બપોરે 12 કલાકે,યજ્ઞની પુર્ણાહુતી બપોરે 3 કલાકે અને મહાઆરતી બપોરે 3:14 કલાકે યોજાશે.

- text

ધર્મ સભામાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા,સાંસદ મોહનભાઇ કુંડારીયા,ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જ્યંતિભાઈ કવાડીયા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને ક્રુભકોના ડાયરેક્ટર મગનલાલ વળાવિયા હાજર રહેશે.યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી હસુભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

આયોજક તાલુકા ભાજપ માળિયા(મી.)પ્રભારી સુભાષભાઈ સવજીભાઈ પડસુમ્બીયા,કોમલબેન સુભાષભાઈ પડસુમ્બીયા,મૈત્રી અને ઓમકુમાર સુભાષભાઈ પડસુમ્બીયા તેમજ ધર્મ આયોજક સમસ્ત ભાવપર ગામ દ્વારા લોકોને આમત્રંણ આપવામાં આવ્યું છે.

- text