હડમતિયાના નકલંકધામમાં પાટોત્સવ નિમિતે રક્તતુલા અને રક્તદાન કેમ્પનું આયોજન 

- text


ટંકારા : નકલંકધામ હડમતીયા વિકાસ સેવાયજ્ઞ સમિતિ તથા રામદેવ ગ્રુપ રાજકોટ દ્વારા 8માં પાટોત્સવ નિમિતે મેહુલદાસ બાપુનો રક્તતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે જ રક્તદાન કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

નકલંકધામ હડમતીયા 8માં પાટોત્સવ નિમિતે મેહુલદાસ બાપુનો રક્તતુલા કાર્યક્રમ,વરિયા માતાજીનો માંડવો અને સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ ભોજનનું તા.16/05ને સોમવારના રોજના નકલંકધામ હડમતીયા,ટંકારા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમોનું સંચાલન ફક્ત રામદેવ ગ્રુપ કરે છે.આ કાર્યક્રમોમાં સમાજના તમામ ભાઈઓ,બહેનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text