મોરબીમાં ભકિતનગર નજીક સર્વિસ રોડ પહોળો કરવાની માંગ

- text


ઓવરબ્રિજના કામને લીધે વાહનચાલકો પરેશાન : કોંગ્રેસ અગ્રણીની કાર્યપાલકને રજૂઆત

મોરબી : મોરબી શનાળા રોડ ભક્તિનગર સર્કલ પાસે બનાવવામાં આવેલ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે.ત્યારે વાહન ચાલકોને મુશ્કેલીઓ ન પડે એ માટે ભકિતનગર ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડ પહોળો કરવો અને તેનું રેપેરિંગ કામ કરવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ માર્ગ-મકાન કચેરીના કાર્યપાલકને રજુઆત કરી છે.

- text

મોરબી શનાળા રોડ ભક્તિનગર સર્કલ પાસે બનાવવામાં આવેલ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે.ત્યારે રોડની પહોળાઈ ઘટી જતા વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે.જેના કારણે અવાર નવાર રાહદારી અને વાહન ચાલકના અકસ્માત થાય છે અને મહામૂલ્ય માનવ જિંદગી ઉપર સતત ખતરો રહે છે.તેથી સર્વિસ રોડ પહોળો કરવો અને બિસ્માર હાલતમાં છે તો તેનું રેપેરિંગ કામ કરવા અંગે લોકમાંગને ધ્યાને રાખી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઈ આર.એરવાડિયાએ જિલ્લા પંચાયત માર્ગ – મકાન કચેરીના કાર્યપાલકને રજુઆત કરી છે.

- text