- text
ધાર્મિક પ્રસંગ પતાવી રાજકોટ જઇ રહેલા કારીયા પરિવાર અકસ્માતનો ભોગ બન્યો
ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર છતર જીઆઇડીસી નજીક સાંજના સુમારે હ્યુન્ડાઇ કાર પલટી જતા રાજકોટના કારીયા પરીવારના પાંચ સભ્યો ઇજાગ્રસ્ત બન્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ – મોરબી હાઇવે ઉપર છતર જીઆઇડીસી નજીક સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં રાજકોટ તરફ જતી હ્યુન્ડાઇ કાર પલટી જતા કારમાં સવાર રાજકોટના મિત દિપકભાઇ કારીયા, દિપકભાઇ કારીયા, હિનાબેન કારીયા, ચાંદનીબેન કારીયા અને દિશાબેન કારીયાને ઇજાઓ પહોંચી હતી.
- text
વધુમાં કારીયા પરિવાર મોરબી તરફ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ટંકારા 108ની ટીમના પાઈલોટ રણજીત આહિર ઈએમટી ઈકબાલભાઈ સહિતનો કાફલો બે એમ્બ્યુલન્સ સહિત પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડયા હતા.
- text