મોરબીમાં ચુંવાળીયા સમાજ દ્વારા કાલે શનિવારે વેલનાથ બાપુની શોભાયાત્રા યોજાશે

- text


મોરબીમાં ચુંવાળીયા સમાજ દ્વારા કાલે શનિવારે વેલનાથ બાપુની શોભાયાત્રા યોજાશે    

મોરબી : સમસ્ત ચુંવાળિયા કોળી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલનાથ બાપુ જન્મ જયંતી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શોભાયાત્રા સભા સંબોધન બાદ મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો છે.આ શોભાયાત્રામાં સમસ્ત ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ભાઈઓ અને બહેનોને જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબી – માળીયા(મી.) હળવદ તથા આજુબાજુના તમામ ગામના સમસ્ત ચુંવાળિયા કોળી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.16ને શનિવારના રોજ વેલનાથ બાપુની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.શોભાયાત્રા 8 કલાકે જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન થી નીકળશે.જડેશ્વર મંદિર થી સુપર ટોકીઝ,ત્રિકોણ બાગ,બજાર લાઈન,નહેરુ ગેઇટ,તખ્તસિંહજી રોડ,ગેસ્ટ હાઉસ થી પુલ પર થઇ મોરબી સામા કાંઠે,ત્રાજપર ચાર રસ્તા,કુબેર પાસેથી,સો – ઓરડીમાં આવેલી ચુંવાળિયા કોળી ઠાકોર સમાજની બોર્ડિંગ ખાતે બપોરે 12:30 કલાકે સમાપન થશે.

- text

ચુંવાળિયા કોળી ઠાકોર સમાજની બોર્ડિંગની સામે,મોરબી જિલ્લા સેવાસદન પાછળ,આદર્શ નિવાસ ગ્રાઉન્ડ,મોરબી ખાતે શોભાયાત્રા સભા સંબોધન બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં હળવદ,ધ્રાગંધ્રાના ધારાસભ્ય પરસોતમભાઇ ઉકાભાઇ સાબરીયા અને મોરબી જિલ્લા,કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણીયા હાજર રહેશે.આ શોભાયાત્રામાં સમસ્ત ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ભાઈઓ અને બહેનોને જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text