શનાળામાં સાર્થક વિદ્યામંદિર દ્વારા કાલે બુધવારે શહીદ સ્મરણ યાત્રા

- text


મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામમાં સાર્થક વિદ્યામંદિર દ્વારા આવતીકાલે બુધવારે શહીદ સ્મરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીના સાર્થક વિદ્યામંદિરની શનાળા બ્રાન્ચ દ્વારા આવતીકાલે તા. 23ને શહીદ દિન નિમિત્તે સવારે 9 કલાકથી સ્કૂલ ખાતેથી શહીદ સ્મરણ યાત્રા નીકળશે. જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ, શહીદ વેશભૂષા, ભારતમાતા પૂજન, લાઈવ બેન્ડ, વિશાળ રાષ્ટ્રધ્વજ અને તલવાર કરતબ મુખ્ય આકર્ષણ કેન્દ્ર હશે. તેમજ શહીદ સ્મરણ યાત્રા ગામના દરેક વિસ્તારમાંથી પસાર થાય ત્યારે ઘર પાસે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવા ગામલોકોને અપીલ કરવામાં આવી છે.

- text