ટંકારામાં આર્યવીર દળ દ્વારા 23મીએ મશાલ રેલીનું આયોજન

- text


શહિદ દિન નિમિતે રેલી યોજી ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ અપાશે

ટંકારા : ટંકારામાં આર્યવીર દળ દ્વારા શહિદ દિન નિમિતે ક્રાંતિકારીઓ શહિદ ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ રેલીમાં જોડાવા માટે ટંકારાવાસીઓને જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે.

ટંકારાના આર્યવીર દળ દ્વારા આગામી તા.23ના રોજ બુધવારે રાત્રે 7 કલાકે વિદેશી વિધર્મી અંગેજ શાસકોને ભારતમાંથી હાંકી કાઢવા પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ ભગતસિંહ,સુખદેવ,અને રાજગુરુના શહીદદિને તેઓને શ્રદ્ધાંજલિ આપવા અને દેશમાં થતા અન્યાય સામે બંડ પોકારી આજનો યુવાન દેશદાઝથી તેના પ્રાણ પણ માતૃભૂમિ માટે ન્યોછાવર કરી શકે તેવી ભાવના સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે.આર્ય નરેશ જ્ઞાનવર્ધક સંદેશ આપી 7:40 કલાકે રેલીને પ્રસ્થાન કરાવશે.

- text

મશાલ રેલી શહેરના મુખ્ય રાજમાર્ગ પર નીકળશે.જેનુ પ્રસ્થાન દયાનંદ સરસ્વતી ચોક મહાલય ખાતેથી થશે.ત્યારબાદ દેરીનાકા રોડ,સોસાયટી વિસ્તાર, મેઈન બજાર,ધેટીયાવાસ,ઉગમણા નાકે,ત્રણ હાટડી બાદ આર્ય સમાજ ખાતે પુર્ણ થશે.આ તકે બહોળી સંખ્યામાં હાજર રહી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ટંકારાની જનતાને આર્ય સમાજના દેવકુમાર પડસુંબિયાએ અપીલ કરી છે.આર્યવીર દળના ચેતન સાપરીયા પંડિત સુહાસ,રજનીકાંત મોરસાણીયા,યોગેશ કારાવડિયા,હસમુખભાઈ દુબરીયા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી છે.

- text