મોરબીમાં કાલે રવિવારે ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ

- text


મોરબી : મોરબીમાં અંદાજે 2 વર્ષથી રજૂઆત બાદ મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની સ્થાપના કરતા તેનું રવિવારે અનાવરણ કરવામાં આવશે.

- text

ક્રાંતિકારી સેના દ્વારા અંદાજે 2 વર્ષથી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મોરબીમાં આવે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. અંતે પ્રતિમાની સ્થાપના કરાઈ છે અને આ પ્રતિમાનું અનાવરણ આગામી તા. 27ને રવિવારના રોજ સવારે 11:00 વાગ્યે શનાળા રોડ પર સરદાર બાગની સામે પર કરવામાં આવનાર છે. ત્યારે દેશપ્રેમીઓએ હાજર રહેવા આયોજકોએ આમંત્રણ પાઠવ્યું છે.

- text