ભરતનગર શાળાના છાત્રો દ્વારા વડીલોનું પૂજન કરી વાત્સલ્ય દિવસની ઉજવણી

- text


મોરબી : મોરબીની ભરતનગર શાળામાં બાળકો દ્વારા આજે વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાળકોએ ઘરના વડીલોનું પૂજન કર્યું હતું.

- text

આપણી ભારતીય સંસ્કૃતિમાં માતા અને પિતાને દેવનું સ્થાન આપવામાં આવ્યું છે.તેમને માતૃદેવો ભવ: અને પિતૃદેવો ભવ:નું સન્માન આપવામાં આવે છે.તો આવા દેવ સમાન માતા-પિતાનું સન્માન કરવું એ આપણી નૈતિક ફરજ બને છે.આજના દિવસે ભરતનગર શાળાના નાના ભૂલકાઓએ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા ઘરના વડીલોનું પૂજન કર્યું હતું. તેમણે માતા-પિતાને કુમકુમ લગાવી,આરતી ઉતારી અને ચરણસ્પર્શ કરી અનોખી પહેલ કરી હતી.

- text