મોરબીથી કુંતાસી તથા ઉંટબેટની એસ.ટી. બસ સેવા શરૂ કરવા માંગ

- text


મોરબી: મોરબીથી કુંતાસી વાયા મોડપરની નવી એસટી બસ 10:00 વાગ્યે તેમજ મોરબીથી ઉટબેટ વાયા બીલીયા, મોડપર, વિરપરડાની બસ પુનઃ શરૂ કરવા લોકમાંગ ઉઠી છે.

- text

મોરબીથી કુંતાસી સુધીની બસ વાયા મોડપર સવારે 10 વાગ્યે શરૂ કરવાની અતિ જરૂરિયાત હોય જેથી આ રૂટ પર આવતા જતા તમામ ગામડાના લોકોને સરળતા રહેશે. તેમજ ગ્રામજનો આ બસ સેવા શરૂ થાય તો સવારે મોરબી ખરીદી કરવા તેમજ અન્ય કામ માટે આવી શકે. તેથી આ રૂટ વહેલી તકે શરૂ કરવા મોરબી એસટી ડેપો મેનેજરને રજૂઆત કરાઇ છે. આ ઉપરાંત છેલ્લા પચાસ વરસથી મોરબી ઉટબેટ વાયા બીલીયા, મોડપર, વિરપરડા સાંજે છ વાગ્યે ઉપડતી બસ હાલ બંધ થઈ ગઈ છે. જેથી મોડપરના ગ્રામજનોને મુશ્કેલી ઊભી થઈ છે. આ બસ પુનઃ શરૂ કરવા અગાઉ પણ અનેક વખત લેખિત રજૂઆત કરાઇ છે. તેમ છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે ફરી એકવાર મોડપર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો વતી આ બસ પુનઃ શરૂ કરવા ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરાઇ છે.

- text