પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ

- text


હળવદના મયુરનગર ગામે પાંચેક દિવસ પહેલા ગળેફાંસો ખાઈ લેનાર પરિણીતાના પિતાએ ફરિયાદ નોંધાવી

હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે પાંચેક દિવસ પહેલા ગળેફાંસો ખાઈ મોત વહાલું કરનાર પરિણીતાના પિતાએ પરિણીતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સિતમ ગુજારનાર સાસરિયાઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ પાંચેક દિવસ પૂર્વે હળવદ તાલુકાના મયુરનગર ગામે સરોજબેન નિકુલભાઈ નામની પરિણીતાએ પોતાના ઘરે રૂમમા પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા પરિણીતાના વેગડવાવ ગામે રહેતા પિતા માવજીભાઇ મુળજીભાઇ જાદવે પોતાની પુત્રીને મારવા મજબુર કરનાર પતિ નીકુલભાઇ હીરજીભાઇ સસરા હીરજીભાઇ અમરશીભાઇ તથા સાસુ વસંતબેન હીરજીભાઇ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

હળવદ પોલીસે વેગડવાવ ગામે રહેતા માવજીભાઇ મુળજીભાઇ જાદવની ફરિયાદના આધારે પરિણીતાના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ આઇપીસી કલમ ૫૦૪,૪૯૮(ક),૩૦૬,૧૧૪મુજબ ગુન્હો નોંધી મેણાટોણા મારી માનસીક ત્રાસ આપી મરવા મજબુર કરનાર પતિ સહિતના સાસરિયાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text