હળવદના ભાજપ અગ્રણીની મોરબી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિમાં નિયુક્તિ

- text


 

મોરબી જિલ્લાના ચાર અગ્રણીઓનો પણ સમિતિમાં સમાવેશ

હળવદ : મોરબી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં હળવદ ભાજપના અગ્રણી સહિત જિલ્લાના ચાર નાગરિકોની નિમણૂક જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે.

જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં રાજ્ય સરકારની જોગવાઈ અનુસાર જનતાના પ્રતિનિધિ તરીકે બિન સરકારી ચાર સભ્યોની નિમણૂક કરવામાં આવતી હોય છે. જેમાં મોરબી જિલ્લામાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની પુન:રચના કરવામાં આવી છે જેમાં અગ્રગણ્ય નાગરિકના હોદા પર હળવદ ભાજપના પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ, ટંકારાના ધર્મેન્દ્ર ભાઈ ત્રિવેદી, મોરબીના દીપકભાઈ સોમૈયા અને નાનીવાવડીના પ્રવીણભાઈ પડસુંબિયાની નિમણૂક કરવામાં આવી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે અન્ન અને નાગરિક પુરવઠાની કમિટીમાં રાજ્ય સરકારની જોગવાઈ અનુસાર બિન સરકારી ચાર વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવતી હોય છે જે સભ્યો જિલ્લામાં પુરવઠાને લગતા લોકોના પ્રશ્નો સીધા કલેકટર સુધી પહોંચાડતા હોય છે. આ સમિતિમાં જાગૃત અગ્રણીઓની વરણી થતા લોકપ્રશ્નોને વાચા મળશે.

- text