મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ફસાયેલા શ્વાનને જીવતદાન અપાયું

- text


મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આયકર વિભાગની જૂની ઓફીસ ઉપર ફસાયેલા શ્વાનને રેસ્ક્યુ કરી જીવતદાન આપવામાં આવ્યું છે.

મોરબીના ગ્રીન ચોક પાસે આયકર વિભાગની જૂની ઓફીસ ઉપર એક કૂતરું છેલ્લા 3-4 દિવસથી ફસાય ગયું હતું અને તે જે જગ્યા એ હતું ત્યાં કોઈ માણસ જઈ શકે તેમ નહતું. તેથી, તેને કર્તવ્ય જીવદયા કેન્દ્રની રેસ્ક્યુ ટિમ દ્વારા સફળતાથી નીચે ઉતારી આપવામાં આવ્યું હતું. આ બચાવ કાર્યમાં મોરબી ફાયર બ્રિગેડના સ્ટાફ કિશનભાઈ ભટ્ટનો સહયોગ મળ્યો હતો. જે બદલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબીમાં કોઈ પણ પ્રાણીઓ ક્યાંય પણ ફસાય ગયા હોય તો તાત્કાલિક કર્તવ્ય જીવદયા કેન્દ્રનો મો. 75748 85747 પર સંપર્ક કરી શકાશે. આ સેવા કાર્યમાં એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી.

- text