મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

- text


મોરબી : આજે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા તેમની પ્રતિમાને સવારે સફાઈ કર્યા બાદ સાંજે ફૂલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- text

આજ રોજ રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ મોરબી ખાતે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે મહારાણા પ્રતાપની પ્રતિમા સમક્ષ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ તકે મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી શક્તિસિંહ જાડેજા તેમજ જિલ્લા ઉપપ્રમુખ શક્તિસિંહ જાડેજા (પીલુડી), જિલ્લા મંત્રી મયુરસિંહ જાડેજા, જિલ્લા કારોબારી દિલીપસિંહ ઝાલા, શહેર મહામંત્રી હર્ષરાજસિંહ જાડેજા, શહેર સહમંત્રી યોગીરાજસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, સંદીપસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, હાજર રહ્યા હતા.

- text