- text
હળવદ : આજે સવારના હળવદ શહેરમાં આવેલ જીઆઇડીસી વિસ્તારમાં મજૂરીકામ કરતાં અને મુળ હળવદ તાલુકાના દિઘડીયા ગામના ચાર દિકરીઓના પિતાનું ટ્રેન અડફેટે મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલે લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ હળવદ તાલુકાના દિઘડિયા ગામના અને હાલ મજુરી કામ અર્થે હળવદ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ અવચર ભાઈ કાંઝીયા(ઠાકોર) ઉંમર વર્ષ ૩૫ આજે સવારના નવ વાગ્યાની આસપાસ જીઆઇડીસી સામે કુદરતી હાજતે જતી વખતે રેલ્વેનો પાટો ક્રોસ કરતા સમયે કચ્છ તરફથી આવતી માલગાડીની અડફેટે આવી જતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
- text
બનાવની જાણ રેલવે પોલીસને અને હળવદ પોલીસને થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલે લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક દિનેશભાઈને સંતાનમાં ચાર દીકરીઓ હોય જેથી પરિવારમાં પણ કાળો કલ્પાંત વ્યાપી ગયો છે.
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text