ગોરખીજડીયા અલખધણી ગૌશાળા ખાતે રામદેવ રામાયણ કથાનું ભવ્ય આયોજન

- text


મોરબીઃ મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામે અલખધણી ગૌશાળા દ્વારા રામદેવ રામાયણ કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથા આગામી તારીખ 8 જાન્યુઆરી 2022 ને શનિવારથી તારીખ 14 જાન્યુઆરી 2022 ને શુક્રવાર સુધી ચાલશે.

ગૌમાતાની સેવાના લાભાર્થે તથા વિશ્વ શાંતિ, માનવ કલ્યાણ અર્થે આયોજિત આ કથાના વ્યાસપીઠ પર મહાગજ્ઞના વક્તા બાળવિદુષી રતનબેન ગુરુ ભાવેશ્વવરીબેન બિરાજી પોતાની દિવ્યવાણીમાં ભક્તિભાવથી સંગીતમય ગથાનું અમૃતપાન કરાવશે. આ ધર્મ કાર્યનો સર્વેને લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

આ કથાના પ્રથમ દિવસે પોથી યાત્રા બપોરે 3 કલાકે યોજાશે, બીજા દિવસે તારીક 9 જાન્યુઆરીના રોજ નંદ મહોત્સવ, તારીખ 10 જાન્યુઆરીના રોજ રામદેવજી મહારાજ પ્રાગટ્ય, તારીખ 11 જાન્યુઆરીના રોજ ભૈરવ ઉદ્ધાર, તારીખ 12 જાન્યુઆરીના રોજ રામદેવજી મહારાજના વિવાહ, તારીખ 13 જાન્યુઆરીના રોજ પાટનો મહિમા, ગત ગંગાના ભક્તોની કથા અને અંતિમ દિવસે 14 જાન્યુઆરીના રોજ રામદેવજી મહારાજીની સમાધિ સહિતના પ્રસંગો ઉજવાશે. આ ઉપરાંત 8 જાન્યુઆરીના રોજ રાત્રે 8 વાગ્યે રાસંગપર રામા મંડળ દ્વારા રામા મંડળ કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમજ તારીખ 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સવારના 5 થી સાંજના 5 વાગ્યા સુધી ધુન રાખવામાં આવી છે.

તારીખ 8 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી સુધી કથામાં આવતા તમામ હરિભક્તો, મહેમાનો, સાધુ સંતો માટે સવાર, બપોર અને સાંજ મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે.કથા સત્ર દરમિયાન મહંત રવિરામબાપુ, યોગી કમલનાથજી, યોગી ભરતનાથજી, પીર ધીરુભા બાપુ, મહંત જગનદાસજી મહારાજ, મહંત ભાવેશ્વવરી માતાજી, મહંત દામજી ભગત, શામજી ભગત, સંત કિરણદાસજી તેમજ મુકેશ ભગત સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text