તરઘરીમાં પરમાર પરિવારનો સ્નેહમિલન સાથે છાત્ર સન્માન સમારોહ યોજાયો

- text


માળીયા (મી.) : માળિયાના તરઘરીમાં નવા વર્ષ નિમિતે પરમાર પરિવારના સ્નેહમિલન સાથે છાત્ર સન્માન સમારોહ યોજાયો હતો.

મોરબી અને અલગ અલગ જિલ્લામાં વસતા માળિયા મિયાણા તાલુકાના તરઘરી ગામના પરમાર પરિવારના ગત 5 નવેમ્બરના રોજ નવ વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી તેમજ અલગ અલગ શહેરમાં વસવાટ કરતા તરઘરી ગામના પરમાર પરિવારના લોકો જોડાયા હતા.

આ પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમમાં ગ્રેજ્યુએશન, માસ્ટર ડીગ્રી, ડોક્ટર તેમજ અલગ અલગ વિષયમાં વિશેષ ડીગ્રી મેળવનારા કુલ 35 જેટલા યુવક યુવતીઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં પરિવારની દીકરીઓ સંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. આ તકે પરિવારના મોભી અને વડીલોઓનું શાલ ઓઢાળી સન્માન કરાયું હતું. કાર્યક્રમ અંતે સમૂહ ભોજનનું પણ આયોજન કરાયું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text