વાંકાનેરમાં વિવિધ એસો. દ્વારા 30મી સુધી આંશિક લોકડાઉન

- text


અનેકવિધ દુકાનો બપોરે 3 વાગ્યા બાદ રહેશે બંધ

વાંકાનેર : વાંકાનેરમાં કોરોના મહામારીની પરિસ્થિતિ અન્વયે શહેરનાં વિવિધ વેપારી એસોસિએશન દ્વારા આવતીકાલથી 30મી એપ્રિલ સુધી બપોરે ત્રણ વાગ્યા બાદ અનેકવિધ દુકાનો બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

- text

વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ વિગત અનુસાર આવતીકાલથી બપોરે 3 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે તા. 30 એપ્રિલ સુધી શહેરની તમામ દુકાનો બપોરે 3 કલાક સુધી જ ખુલ્લી રહેશે. જેમાં કાપડ, કરિયાણા, કટલેરી, સોની, કંસારા, પાન-મસાલા, મોબાઈલ એસોસિયેશનનાં પ્રમુખ દ્વારા સર્વાનુમતે નિર્ણય લઈ આ તમામ દુકાનો આવતીકાલથી બપોરે 3 બાદ સજજડ બંધ રાખવામાં આવશે અને આ નિર્ણયનો તમામ વેપારીઓએ ફરજીયાત પાલન કરવાનું રહેશે.

- text