વાંકાનેરનું માર્કેટ યાર્ડ 24 એપ્રિલ સુધી બંધ રહેશે

- text


વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે નિર્ણય જાહેર કરાયો

વાંકાનેર : વાંકાનેર પંથકમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો હોવાથી દરરોજ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે ત્યારે વાંકાનેરમાં આવેલ માર્કેટ યાર્ડમાં ભીડનું જોખમ ટાળી કોરોના સંક્રમણ અટકાવવા માટે આગામી 24 એપ્રિલ સુધી વાંકાનેરના માર્કેટ યાર્ડને બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

- text

હાલના તબક્કે ફાટી નિકળેલ રોગચાળા અને કોરોનાની પરિસ્થિતીને દયાનમાં રાખી તા. 24 એપ્રિલને બુધવાર સુધી વાંકાનેર માર્કેટ યાર્ડનુ તમામ કામકાજ બંધ રહેશે. ત્યારબાદ પરિસ્થિતી પ્રમાણે તા. ૨૧–૪-૨૦૨૧ના રોજ નવી જાહેરાત કરવામાં આવશે. આ સાથે વાંકાનેર માર્કેટ યાર્ડ સાથે સલંગ્ન તમામ ખેડૂતો, વેપારીઓ, દલાલો, વાહનચાલકો અને મજુરોએ આ બાબતની નોંધ લેવી તેમજ નવા માલની ઉતરાઈ બંધ હોઈ, નવો માલ લાવવો નહી તેવું વાંકાનેરના એ.પી.એમ.સી.ના સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.

- text