- text
મોરબી : હાલમાં દેશમાં 45 વર્ષથી વધુ વયના લોકોને કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસી મૂકવામાં આવી રહી છે. જેનો અનેક લોકો લાભ લઈ રહ્યા છે. ત્યારે મોરબી તાલુકાના મકનસર ગ્રામ પંચાયતના સરપંચ માવજીભાઈ ભીમજીભાઈ દારોદ્રાએ આજ રોજ કોરોનાની વેક્સિન લીધી હતી. અને આમ, સરપંચ માવજીભાઈએ કોરોના સામે તકેદારીના ભાગરૂપે રસી મુકાવી હતી.
- text