મોરબીના કબીર ટેકરી વિસ્તારમાંથી પરિણીતા લાપતા

- text


મોરબી : મોરબીમાં કબીર ટેકરી શેરી નં. 3મા રહેતા હંસાબેન અરવિંદભાઈ અગેચણીયા નામના પરિણીતા ઘરેથી દવા લેવાનું કહ્યા બાદ લાપતા બન્યા છે. બાદમાં તેઓના પતિએ તેમની શોધખોળ આદર્યા બાદ તેઓ મળી આવ્યા ન હતા. અંતે તેઓના દેર સંજયભાઈએ એ ડિવિઝન પોલીસમાં અરજી કરી શકમંદ તરીકે તેઓના પાડોશી રવિને દર્શાવ્યો છે. ઉલ્લેખનીય છે કે લાપતા બનેલા હંસાબેનને સંતાનમાં પાંચ પુત્રીઓ છે.

- text

- text